tag:blogger.com,1999:blog-153858832008-07-01T08:12:56.253+05:30SHABD PREET:Gujarati Literature, Poems Gazals, Shabd Preet & BhupatDada's Column by ilaxiilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-15385883.post-69706116898272653502008-06-26T16:04:00.003+05:302008-06-26T16:16:13.500+05:30મારે વાતચીત કરવી છે!<p><strong>મારે વાતચીત કરવી છે!<br />- ભુપતભાઇ વડોદરિયા</strong></p><p>જર્મન ફિલસૂફ નિત્સી લગ્નને એક લાઁબી વાતચીત કહી છે. લગ્ન શુઁ કામ, જીવન ખુદ એક લાઁબી વાતચીત નથી? એક સ્ત્રી અને એક પુરુષ દિવસ-રાત સાથે રહે તો એકબીજા સાથે વાતચીત કર્યા વગર તોઅ જીવી જ ના શકે. જ્યાઁ વાતચીત ઓછી કે નહીઁવત હશે ત્યાઁ તરત બઁનેને ગૂઁગળામણ જેવુઁ લાગશે અને એમની એ ગૂઁગળામણ બીજાઓને પણ દેખાયા વગ નહીઁ રહે.<br /><br />પશ્ર્ચિમના સુખી મનાતા દેશોમાઁ પરિણીત સ્ત્રી-પુરુષો અને એમનાઁ સઁતાનોમાઁ આટલુઁ બધુઁ ડિપ્રેશન - મનની મઁદી હોવાનુઁ કારણ એકજ માનવામાઁ આવે છે કે ત્યાઁ ઝાઝી વાતચીત નથી. સઁવાદ નથી! કામકાજ સિવાયની વાત જ નહીઁ. લાઇફ ઇઝ બિઝ્નેસ! બિઝનેસ ઇઝ બિઝનેસ! લવ ઇઝ ઓલ્સો બિઝનસ! પણ વાણીના અભિષેક વિના તો પ્રેમની માત્ર મૂઁગી મૂઁગી ચેષ્ટા પણ શોભાવિહીન બની જવાનુઁ જોખમ રહે છે. પુરુષને કાઁઇક કહેવુઁ છે, સ્ત્રીને કાઁઇ કહેવુઁ છે, બાળકને પણ કાઁઇક કહેવુઁ છે. જ્યાઁ વાતચીત છે, કહેનારા અને સાઁભળનારા મોજુદ છે. ત્યાઁ ગૂઁગળામણ ઓછી હોય છે. આવાઁ કુટુઁબોમાઁ બીજા જે કાઁઇ સુખદુ:ખ હોય તે, વાતાવરણમાઁ ગૂઁગળામણ નહીઁ હોય. એકાઁતની આ અકળામણ હકીકતે જીવનરસની પ્યાસ છે - માણસની માણસ માટેની ભૂખ છે.<br /><br />એ વાત સાચી કે વાણીના અઁત: સ્ત્રોતનાઁ તળ તાજાઁ કરવા માટે મૌનની જરૂર પડે છે. વાણીની શુદ્વિ અને સમૂદ્વિ માટે મૌન આવશ્યક છે. પણ વાણીનો પાર પામી ગયેલા માટે આવુઁ મૌન અમુલ્ય - સામાન્ય માનવીઓ માટે તો વાતચીત કોઇ વિકલ્પ જ નથી. વાતચીતનો અર્થ પણ માત્ર બોલબોલ કર્યા કરવુઁ એવો સઁકુચિત બનાવી દેવાનો નથી. માણસની માણસ સાથીની સગાઇના એક સઁવાદ રૂપે જ તેનુઁ ખરુઁ મહત્વ છે.<br />માણસ માણસની સાથે ખુલ્લા દિલે સઁવાદ કરે તો તેનો સૌથી મોટો લાભ એ છે કે તે પોતે જ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરી શકે છે અને તેનુઁ મન પણ હળવુઁ થાય છે. કેટલા બધા માણસો, પોતાને વિષે બીજા શુઁ અભિપ્રાય બાઁધશે એ બીકે સઁકોચવશ પોતાના મોઁને સીવીને બેસી જાય છે. નહીઁ કહેલી વાતો હૃદય ઉપર બોજ બની જાય છે. પછી અઁદર આ રીતે જમા થયેલી વરાળથી કોઇ વાર ઉપરનુઁ ઢાઁકણ ફાટે છે અને એમની વાણીના એ વિસ્ફોટ, ઉશ્કેરાટ અને આક્રમકતાથી સાઁભળનારા દઁગ થઇ જાય છે. અરે, આટલા શાઁત, ઓછાબોલા માણસને આ એકાએક શુઁ થઇ ગયુઁ?<br /><br />માણસ મૂઁગો જ રહે તો તેને મૂઁઝારો થાય. તેને મોઁ ખોલ્યા વગર ચાલતુઁ નથી અને દિલ ખોલ્યા વિના પણ ચાલતુઁ નથી. તેને વાત કરવા માટે પણ કોઇક ઠેકાણુઁ જોઇએ છે. તમે કોઇ મનોચિકિત્સક કે જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરને પણ પૂછશો તો તે તમને કહેશે કે દર્દીઓ તરીકે તેમની સમક્ષ આવતા માણસો કઁઇક કહેવા આવ્યા હોય છે. ઘણાઁ કેસમાઁ તો કોઇ ગઁભીર રોગ નથી હોતો - મનની ગૂઁગળામણ હોય છે - પોતાની વાત સાઁભળે તેવા બે કાનનો ખપ તેમને હોય છે. કોઇ કોઇની પીડા તો લઇ શકતુઁ નથી પણ પોતાની પીડા કોઇક સાઁભળે તો જાણે એનાથી પણ કાઁઇક રાહત થતી હોય છે. જનરલ પ્રેક્ટિસ કરતા કોઇ ડોક્ટર પાસે જતા દર્દીઓને તેમની તકલીફ ની વાત કરતાઁ તમે સાઁભળશો તો તમને તાજુબી થશે કે તેમાઁ શારીરિક પીડાની ખરેખરી વિગત કરતાઁ ઘણુઁ વિશેષ તેઓ કહ્યા વિના રહી શકતા નથી !<br /><br />એક સિત્તેર વર્ષનાઁ સઁબઁધી અમદાવાદમાઁ વર્ષોથી રહેતા તેમના સુખી શ્રિમઁત પુત્રને ઘેર રહેવા આવ્યા. પુત્રે વ્રૂદ્વ પિતાને કહ્યુઁ : બાપુ, હવે વતનમાઁ તમારે શુઁ કામ છે? આપણે ત્યાઁ શો વહિવટ કરવાનો છે? તમે અહીઁજ રહી જાઓને. નહીઁતર પણ વતનમાઁ તમે શુઁ કરો છો? કઁઇ કરવાનુઁ તો છે જ નહીઁ !<br /><br />દીકરાની લાગણીને માન આપીને એ પિતા થોડા દહાડા રોકાયા - મૂઁગા રહ્યા. પછી એક દિવસ તેમણે પુત્રને વિનઁતીના સુરે કહ્યુઁ, ભાઇ, હવે જાઉ ! તુઁ મને જવા દે. મારી કોઇ ચિઁતા કરીશ નહીઁ. તબિયત બગડશે અગર બીજી કાઁઇ વાત હશે તો હુઁ તને તરત જ જાણ કરીશ.<br /><br />પુત્રને પિતાનો આવો અચાનક નિર્ણય સમજાયો નહીઁ. પુત્રે પુછ્યુઁ, પણ બાપુ, અહીઁ તમને અગવડ શી છે? આપણા વતનના ગામમાઁ એવી સગવડ શુઁ છે કે જે સગવડ તમને અહીઁ નથી? અહીઁ તમને આ ગમે તેવુઁ શુઁ કારણ છે? એવુઁ કાઁઇ હોય તો મને કહો તો આપણે તેનો ઇલાજ કરીઇ.<br /><br />પિતાએ કહ્યુઁ, ભાઇ, આપણા વતનના ગામમાઁ ખાસ કાઁઇ સગવડ નથી અને અહીઁ તારે ઘેર તો બસ બધી સગવડો જ છે. પણ મારે માટે અહીઁ એક મોટી અગવડ છે. અહીઁ મારી ઉઁમરનુઁ કોઇ નથી. વતનમાઁ મારે વાત કરવાનાઁ બે-ચાર ઠેકાણાઁ છે. એટલે મારે ત્યાઁ જવુઁ છે. મને ત્યાઁ જ ગમે છે. પુત્રની રજા લઇને એ પિતા વતન જતા રહ્યા.<br />_________________________________________________<br />વાતચીત કરવાનુઁ મન દરેકને હોય છે. મને ખ્યાલ છે કે ઘણાઁ એવા મા-બાપ અહીઁ રહે છે કે તેમના એકના એક સઁતાન પરદેશ ઘર વસાવીને રહે છે અને તેઓ અહીઁ દેશમાઁ રહી સમય પસાર કરે છે. એક NRI Parents ની ક્લબ પણ છે જેઓ અનેક વખત પ્રોગ્રામ ગોઠવે છે અને બહાર જમવા પણ સાથે જાય છે. ઘણાઁ મા-બાપ દીકરાના સુખમાઁજ તેમનુઁ હિત જોતા હોય છે પણ તેમના દિલના બે શબ્દ કોઇને કહેવાની તેમને ઇચ્છા હોય છે. ઘણાઁ લોકો કલાકો સુધી દરરોજ અથવા જ્યારે સમય મળે પરદેશ રહેતા સ્વજનો સાથે વાતો કરે છે.<br /><br />કહે છે અ મેન ઇઝ અ સોશિયલ અનીમલ ! નેટ પર વધુ પ્રચલિત સોશિયલ નેટવર્ક્સ છે અને ચેટ એપલીકેશન જેમકે સ્કાઇપ, જી-ટોક, યાહુ, એમ.એસ.એન - અને હા, જ્યારે હુઁ મળેલા ઇમેલ દ્વારા કવિતા કે બીજા બ્લોગ પર જોવુઁ છુઁ તો કોમેન્ટસમાઁ લોકોના લખાણ વાઁચુ છુઁ તો સમજાય છે કે પીપલ વોંન્ટ ટુ ટોક એંન્ડ વોન્ટ ટુ ઓપાઇન ધ્યાર વોઇસ!<br /><br />જહોજલાલી હોય, લીલી વાડી હોય અને બધી સગવડ હોય - સુખ:શાઁતિ હોય પણ જો કોઇ સાથે બેસીને વાત કરનાર ના હોય તો તે માણસની જિઁદગી ચાર દિવાલમાઁ કાળ જેવી લાગે! અને જે વાત કરે છે પણ ખુલ્લા દિલે પોતાના દિલની વાત નથી કહી શક્તા કે સઁકોચ રાખે છે તે અઁદરથી ઘુઁટાય છે અને દિલની વાત દિલમાઁ રાખી ગૂઁગળામણ અનુભવે છે અને દુ:ખી થાય છે. ભાઇનો લેખ વિચાર માઁગી લે તેવો છે! </p><p>- ઇલાક્ષી પટેલ </p>ilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-31261241039289286692008-02-20T15:04:00.002+05:302008-02-20T15:08:49.342+05:30લાગણીના સઁબઁધો ખુબજ યાદગાળ રહે છે<strong>લાગણીના સઁબઁધો ખુબજ યાદગાળ રહે છે<br />-ભુપતભાઇ વડોદરિયા</strong><br /><br />આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતો જ નથી. માત્ર રૂપિયો જ ખણખણતો હોય છે.<br /><br />તમે ઓફિસે કે કારખાને જવા નીક્ળો છો ત્યારે તમારુઁ બાળક તમને કહે છે કે, પપ્પા, સાઁજે આવો ત્યારે મારા માટે ચીકી લેતા આવશો? લાવશો ને? તમે હા પાડો. તમે સાઁજે ચાર આનાની ચીકી ને બદલે કદાચ રૂપિયો આપો તો પણ બાળક ખુશ નહીઁ થાય, કેમ કે તમે તેની ઇચ્છાની વસ્તુ લાવ્યા ન હતા. સ્નેહના વિકલ્પ રૂપે આપણે સિક્કા વાપરીઇ છીએ. આપણે ત્યારે ભૂલી જઇએ છીએ કે આ બઁને અલગ ચલણો છે અને તેની અદલાબદલી થઇ શક્તી નથી. તેથીજ યાદ રાખવુઁ જરૂરી બને છે કે માણસની જિઁદગી સ્નેહનાઁ જળ શોધતા મ્રૂગલાની અનઁત યાત્રા જેવી છે. એ પ્રેમ ઝઁખે છે અને પ્રેમ શોધે છે. એને પ્રેમ આપવો પણ છે અને પ્રેમ લેવો પણ છે. પણ હવે આપણે પ્રેમ આપી શકતા નથી. હા, રોકડો ચાર્જ ચૂકવવાની તૈયારી છે. આજે આપણે લાગણીનુઁ ચલણ કરવા માઁડ્યુઁ છે, અને રોકડા રૂપિયાનો વ્યવહાર બુલઁદ બનાવી દીધો છે. કોઇના જન્મદિને, લગ્નપ્રસઁગે ખાસ અવસરે કઁઇ આપવાનુઁ મન થાય ત્યારે આપણે સ્નેહના વ્યવહારનુઁ કોઇ સાધન શોધી શકતા નથી. શુઁ આપવુઁ? ઇંડિપેન, ઘડિયાળ, કપડુઁ? પરઁતુ એ બધુઁ તોઅ તેની પાસે હોયજ ને! એટલે આપણે રૂપિયા આપીએ છીએ. પણ રોકડાને બદલે વ્યક્તિને ગમતી ચીજ કોઇક સ્નેહીજનના હાથે લાગણીથી નીતરતી સામે આવે ત્યારે તેનો આનઁદ ઓરજ હોય છે. દુર બેઠેલી માને માટે સાદો સાડલો પસઁદ કરતાઁ આપણને કઁટાળો આવે છે, મોકલો રોકડા રૂપિય! બાપાએ ગામડેથી દવા મઁગાવી છે. આપણે ગણતરીબાજ મગજ ત્રિરાશી મુકવા માઁડે છે - શુઁ આ બધી દવા ત્યાઁ નથી મળતી એમ? બધીજ મળે છે. મોકલો રોકડા રૂપિયા. આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતોજ નથી. માત્ર રૂપિયોજ ખણખણતો હોય છે. ખાટલે પડેલા પિતા તમારી ચાકરી માગે ત્યારે તમે જાતે જવાને બદલે મની ઓર્ડર સાથે પોસ્ટમેનને પહોઁચાદી દો છો. તમે નાના હતા ત્યારે ચાર પગે ઘોડો થનારો પિતા આજે અશ્કત બનતાઁ તમારો ઉષ્માભ્રર્યો હાથ પોતાના કપાળે મૂકવા માગે છે. પણ તમને એ બચપણ યાદ નથી. આપણો જીવ કુટુઁબજીવનની ગઁગોત્રીથી દુર નીકળી જઇને ચલણી નોટોના કાગળની હોડીઓ ચલાવવામાઁ ગુઁથાઇ ગયો છે. એ વાત ખરી છે કે ધન વિના ચાલતુઁ નથી - આપણા પ્રાચીનો બિચારા એટલેજ કહી ગયા છે કે, ‘વસુ વિના નર પશુઁ’ પણ વસુ કહેતા લક્ષ્મીકે ધન, કઁઇ તમામ ભૂખની કામધેનુ નથી. એ આપણે ભૂલી ગયા છીએ. ઘણા બધા નિર્લજ્જ ઠઁડા વ્યવહારોને આપણે ચલણી નોટોમાઁ વીઁટવા માઁડ્યા છીએ. તમારી તરસ જ્યારે ઠઁડા પાણીનો પ્યાલો શોધતી હોય ત્યારે તમને કોઇ ડાઇનિઁગ કલ્બનુઁ કાર્ડ તમારા હાથમા મુકે તો કેવુઁ લાગે? કોઇ લાગણી માગે ને તમે રૂપિયા પરખાવી દો ત્યારે સામા માણસને એવુઁજ લાગે છે. પરઁતુ ધનને તમામ વ્યવહારોનો મઁત્ર બનાવવાની જરૂર નથી! જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી. પિતાએ સગા હાથે છોલીને ખવડાવેલી શેરડીનો રસ બાળકના જીવનમાઁ ઉતરે છે અને મહોરે છે. પતિએ સઁભારીને પત્નિને આપેલી વેણી દાઁપત્યજીવનમાઁ મેઘધનુષની શોભા મૂકી જાય છે. નોટોના નઁબર યાર નથી રહેતા, લાગણીની થોડીક પળો જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે.<br />_______________________________<br />રૂપિયાના ખણખણાત કરતા લાગણીના સઁબઁધો ખુબજ યાદગાળ રહે છે અને તે લાગણીની હુઁફ સદા જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે. ખરુઁ! દરેકે સમજવા જેવો લેખ. ખાસ કરીને જ્યારે પિતા લીલીવાડી મુકીને જવાની તૈયારી કરતા હોય, ત્યારે ખાસ કરીને ઘરની દરેક વ્યક્તી, સગાસઁબઁધી પાસે તે માત્ર લાગણીની આસ રાખે છે કે તેમના સાથે કોઇ બે શબ્દ વાત કરે, તેમના માટે સમય કાઢે અને પ્રેમથી બે મીઁઠા શબ્દ ની આપ લે કરે કે પછી ભૂતકાળના યાદગાળ સઁસ્મરણો ને યાદ કરી સઁતોષનો એક આનઁદ લે. બાકી, પૈસો ખણખણે અને માનવી ખુદ મા-બાપને ભૂલી એવો ખોવાઇ જાય કે તેમના ગયા બાદ સમજાય અને ખોટ લાગે! ખરેખર, જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી!!!<br /><br />- ઇલાક્ષી પટેલilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-71641293206958876502007-10-31T12:59:00.000+05:302007-10-31T13:13:01.445+05:30સારા માણસ માટે આ સઁસારમાઁ બહુ થોડી જગ્યા છે<strong>સારા માણસ માટે આ સઁસારમાઁ બહુ થોડી જગ્યા છે <br />-ભુપતભાઇ વડોદરિયા</strong><br /><br />આપણે મોટાભાગે પરીક્ષામાં પાસ-નાપાસના આધારે વિદ્યાનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે જોવું છે કે માણસ માત્ર મેટ્રીક પાસ હોય પણ એણે ગ્રેજ્યુએટ પણ બાજુએ રહી જાય એવી વિદ્યા સંપન્ન કરી હોય. દેશના નેતાઓ પર નજર કરીએ તો એ લોકોએ ભણવામાં મોટી સિદ્ધિ મેળવી ન હતી. પણ જિંદગીની પરીક્ષામાં કોઈપણ ડિગ્રીને આંટી દે તેવી વિદ્યા હાંસલ કરી હતી. <br /><br />મહત્ત્વ ડિગ્રીનું નથી પણ વિદ્યાને માટે તમે શું પ્રાપ્ત કર્યું તેનું છે. માણસ ખૂબ ઓછી ડિગ્રી ધરાવતો હોય પણ એનો પોતાનો જ્ઞાનનો કોશ બહુ વિશેષ હોય એમ બને છે. દુનિયાના મોટા માણસો માત્ર ડિગ્રીના આધારે નહીં પણ તેમણે જાતે જે વિદ્યા પ્રાપ્ત કરી તેના આધારે આગળ વધ્યા. મહાત્મા ગાંધી કોલેજની દૃષ્ટિએ બહુ બાહોશ વિદ્યાર્થી ન હતા. પણ એમણે જિંદગીની કિતાબમાંથી જે સંપન્ન કર્યું એ કોઈપણ ડિગ્રીને ટપી જાય એવું હતું.<br /><br />આપણા દેશના મોટા નેતાઓએ જે કાંઈ હાંસલ કર્યુ એ એમની પોતાની સંપત્તિ હતી, નહી કે કોઈ કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રીના આધારે હતી. એમણે ડિગ્રી માટે શું કર્યુ એ મહત્ત્વનું નથી. પણ તેમણે જીવનની ખુલ્લી કિતાબમાંથી કેટલું ગ્રહણ કર્યુ તે જ મહત્ત્વનું છે.<br /><br />માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પણ મોટા માણસોની સિદ્ધિઓ ડિગ્રી આધારિત ન હતી, તેઓ સામાન્ય કક્ષાના વિદ્યાર્થી હતા. બ્રિટનના મહાન વડાપ્રધાન સ્વ. વિન્સ્ટન ચર્ચિલનો દાખલો આનું એક સારું ઉદાહરણ છે. તેઓ શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન કંઈ બાહોશ વિદ્યાર્થી હોય તેમ બહાર આવ્યું ન હતું. હકિકતે તેઓએ પોતે કબૂલ્યું છે કે તેઓ છેલ્લી પાટલી પર બેસનારા વિદ્યાર્થી હતા અને તેથી જ તેઓ વડાપ્રધાન બન્યા પછી જ્યારે એક શાળાની મુલાકાતે ગયા ત્યારે તેમણે વર્ગની મુલાકાત લીધી. તેમણે પ્રથમ પાટલી પર બેઠેલાને બદલે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કરીને કહ્યું ઃ હું પણ તારી જેમ છેલ્લી પાટલી પર જ બેસતો હતો.<br /><br />જિંદગીની કિતાબમાં કોઈ મહત્ત્વની ડિગ્રીઓ ન હોવા છતાં સિદ્ધિના સોપાનો સર કરનારા આપણા દેશમાં પણ અનેક પડેલ છે. સ્વ. નાનજી કાળીદાસ અને સ્વ.ધીરુભાઈ અંબાણી આના ઉત્તમ ઉદાહરણો છે. નાનજીભાઈ પાસે કોઈ મહત્ત્વની ડિગ્રી ન હતી. વળી તેઓ કોઈ મોટા શહેરમાં પણ ન હતા અને તેથી સવલતો પણ મેળવી શક્યા ન હતા. છતાં સ્વબળે આગળ વધ્યા, વિદેશ ગયા, સંપતિ અર્થ અને અનેકને પોતાના કાર્યમાં સામેલ કર્યા.<br /><br />આ જ રીતે સ્વ. ધીરુભાઈ અંબાણી પણ એક સામાન્ય શિક્ષકના પુત્ર હતા. મેટ્રીકમાં નપાસ થયા હતા. શાળાના અભ્યાસમાં તેઓ ખાસ કંઈ બાહોશ ન હતા. તેઓનું ગણિત પણ કાચું હતું. છતાં કમાવા માટે વિદેશ ગયા અને પેટ્રોલપંપ પર નોકરી કરતાં કરતાં આગળ વધ્યા અને ભારતમાં આવી પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો અને સ્વબળે અબજોપતિ બન્યા. તેઓએ પોતાને મળેલા ઓછા શિક્ષણને ક્યારેય દોષ ન દીધો પણ પોતાની કાબેલિયતથી આગળ વધ્યા.<br /><br />બીજા બધા વ્યવસાયોમાઁ વ્યવસાય કરનારને આવક થાય છે અને ગમે તેટલી મહેનત છતાઁ કશુઁ મળે જ નહીઁ એવુઁ બીજા વ્યવસાયોમાઁ બનતુઁ નથી. માત્ર શિક્ષકનો ધઁધોજ એવો છે કે કહેવાય સાહેબ પણ એક કારકુન જેટલુઁ પણ મહત્વ નહી. <br />શાળામાઁથી નિવૂત થયેલા એક મુખ્ય શિક્ષકે જ્યારે તેમને સન્માનવા માટે જુના વિદ્યાર્થીઓની એક બેઠક બોલાવવાનુઁ નક્કી થયુઁ ત્યારે તેમને માનપાત્રમાઁ શુઁ લખવુઁ તેની ચર્ચા ચાલી. કેટલાક વિદ્યાર્થીઓએ તેમનો પ્રેમાળ સ્વભાવ અને વિદ્યાર્થીઓએ ને મદદરૂપ થવાની તત્પરતાની વાત કરી. માનપાત્રની બેઠકમાઁ વિદ્યાર્થીઓએ ખૂબ પ્રશઁસા કરી અને એમ પણ કહ્યુઁ કે આવા સારા શિક્ષક આવ્યા નથી. પ્રશઁસા તો સૌએ કરી પણ એમને ભેટ સોગાદો આપી નહી. શિક્ષક પોતના ઘરે ગયા ત્યારે એમના કુટુઁબીજનોએ એમને કહ્યુઁ, “ત્રીસ બત્રીસ વર્ષની તમારી ગુલામીમાઁ તમને શુઁ મળ્યુઁ? એક રીતે કહીએ તો તમે તો મુખ્ય શિક્ષક હોવાથી સારા પૈસા મળે એવુઁ ટ્યુશન પણ કરી શક્યા નહીઁ. “ જે વિદ્યાર્થીઓ ગરીબ હતા એમને શક્ય તેટલી બધી મદદ કરી પણ બદલામાઁ એમને કશુઁ મળ્યુઁ નહીઁ. કશુઁ મળ્યુઁ નહીઁ એ તો ઠીક પણ તેમણે તપાસેલાઁ પેપરોમાઁ માર્કસ મુકવામાઁ તેમણે પક્ષાપક્ષી કરી હોય એવી છાપ કેટલાકે ઉભી કરી. એ મુખ્ય શિક્ષકનાઁ પત્ની અને કુટુઁબીજનોએ તેમને કહ્યુઁ કે તમને તો કશુઁ મળ્યુઁ નહી. સાચુઁ કહીએ તો તમારા કેટલાક વિદ્યાર્થીઓએ થોડાઁ ફળ અને શાકભાજી આપ્યાઁ. તમને એમ નથી લાગતુઁ કે મુખ્ય શિક્ષક કરતાઁ નીચી પાયરીની કોઇ નોકરી વધુ ફાયદાકારક પુરવાર થઇ હોત. એમણે પરીક્ષામાઁ પેપરો ઉદારતાથી તપાસીને જે ખરેખર પાસ થતા હતા તેમને પાસ કર્યા પણ આ માટે કશો યશ મળવાને બદલે કેટ્લાકે એવી વાત ચલાવી કે ભલા દેખાતા માસ્તર સાહેબે જે વિદ્યાર્થીને પાસ કર્યા તેમના વાલી પાસેથી રોકડા રૂપિયા લીધા છે. આ બધી વાતો એમને કાને આવી ત્યારે શિક્ષક્ને ખુબ દુ:ખ થયુઁ અને મિત્રોને એમણે કહ્યુઁ કે મુખ્ય શિક્ષક કરતાઁ શાળામાઁ હેડક્લાર્ક હોત તો કઁઇક મળ્યુઁ હોત. લાઁબા વખતની નોકરી પછી એમને થયુઁ કે કઁઇ બીજુઁ કામ કર્યુ હોત તો કઁઇક તો પ્રાપ્ત થયુઁ હોત. એમણે તપાસેલાઁ કેટલાઁક પેપર શઁકા કરીને તપાસવામાઁ આવ્યા પણ તેમાઁ વાઁધાજનક કશુઁ ન મળ્યુઁ.<br /><br />મુખ્ય શિક્ષકની કરુણતા એ હતી કે શાળામાઁ ભણતી એક વિધ્યાર્થીનીને સારા મર્ક્સ મળ્યા ત્યારે મુખ્ય શિક્ષક સામે એવો આક્ષેપ થયો કે સારા માર્કે પાસ થયેલી કન્યા સાથે તેમને કોઇ મીઠો સઁબઁધ છે. તેમણે ખુલાસો કર્યો કે એ તો મારી દીકરી જેવી છે ત્યારે વાઁકદેખા લોકોએ કહ્યુઁ કે આજે જુવાન છોકરીને કોઇ દીકરી-બીકરી માનતુઁ નથી અને એની જુવાનીનો લાભ લેવાની કોશિશ થાય છે. મુખ્ય શિક્ષકને પહેલીવાર જ દુ:ખ સાથે ભાન થયુઁ કે શિક્ષણના વ્યવ્સાયમાઁ પણ સારા માણસ માટે કોઇ યશ નથી. આ બધી ઘટનાઓને કારણે શિક્ષકને ખુબ દુ:ખ થયુઁ કે પોતાના વ્યવસાય ઉપર જ વૈરાગ્ય આવી ગયો. એક સમય એવો હતો જ્યારે બાળકોના વાલીઓ આવી માન આપતા, પણ એવુઁ લાગ્યુઁ કે એમને કોઇ ખાસ માનની નજરે જોતુઁ નથી. એમને પ્રશ્ન થયો કે એક રતીભાર માન હોય એવો શુઁ કોઇ વ્યવસાય નહીઁ હોય? બીજા બધા વ્યવ્સાયોમાઁ વ્યવ્સાય કરનારને આવક થાય છે અને ગમે તેટલી મહેનત છતાઁ કશુઁ મળે નહીઁ એવુઁ બીજા વ્યવ્સાયોમાઁ બનતુઁ નથી. માત્ર શિક્ષકનો ધઁધોજ એવો છે કે કહેવાય સાહેબ પણ એક કારકુન જેટલુઁ પણ મહત્વ નહીઁ. શિક્ષક કરતાઁ તો કોઇ સરકારી કચેરીમાઁ કારકુન થવુઁ સારુઁ. ખુલ્લેઆમ લાઁચ લે અને છતાઁ કોઇ તેની નિઁદા કરે નહી. કોઇ કોઇ વાર તો આવુઁ લાગે છે કે નોકરીમાઁ જેમને પૈસા ખાતાઁ આવડતા હોય તે રીતસર પૈસા ખાય છે અને એ હકીકત છે કે ભ્રસ્ટાચારના આરોપસર જે કોઇ પકડાયા તે બધા લાગવગથી માનભેર છૂટી ગયા. કોઇ કોઇ વાર મુખ્ય શિક્ષકને પ્રશ્ન થયો કે આ દુનિયામાઁ સારા માણસ માટે સારપ જેવુઁ કાઁ છે ખરુઁ? શિક્ષક જ્યારે નિવૂત થયા ત્યારે શાળાના શિક્ષકો - વિધ્યાર્થીઓએ જે માનપત્ર આપ્યુઁ એમાઁ માન જેવુઁ કશુઁ હતુઁ નહી. શિક્ષકને લાગ્યુઁ કે સારા માણસ માટે આ સઁસારમાઁ બહુ થોડી જગ્યા છે. <br /><br />********************<br /><br />શિક્ષકનો ધર્મ સમજનાર શિક્ષક હવે દિવો લઇને શોધવા પડે છે. પૈસા કોઇપણ વ્યવસાયમા જેટલા બને તેટલા વધારે કમાવવાની મહેછા બધાને હોય છે. શિક્ષક પણ એક વ્યવ્સાયમાઁ છે અને તેની પણ એટલીજ જરુરિયાતો હોય છે જે અન્ય ક્ષેત્રમાઁ કામ કરનારાની હોય છે. ફર્ક એટલો છે કે ‘સઁતોષ’ એજ મહા સુખ છે - જે મળે અને તેનાથી નભાવીને સઁતોષ માનવાનુઁ માનવીએ છોડી દીધુ છે. મટીરીયલ વર્લડ તરફ નજર છે. ટેક જમાનામાઁ સારુ લેપ-ટોપ, કોમ્પ્યુટર, આઇ પોડ, સારો ટી.વી., ડી.વી.ડી., ઓવન, વોશીઁગ મશીન, ફ્રીઝ, એ.સી. , મોબાઇલ, બઁગલો, ગાડી, વિગેરે અનેક પ્રલોભન હોય છે અને જરુરિયાત પણ હોય છે. છેવટે મહત્વકાઁક્ષી થવુઁ ખોટુ નથી - ડ્રીમ બીગ એંડ યુ કેન ડુ ઇટ. આઇ ફોન જેવો મોબાઇલ મળે તો કોણ ના લોભાય - ખરેખર તો કહીએ તો શિક્ષક પોતાની ફરજ સમજીને પોતાનુઁ કર્તવ્ય પર લક્ષ રાખે અને કોઇ આશા રાખ્યા વગર દુ:ખ કરવાને બદલે જો વિચારે કે ‘મારુઁ જીવન કોઇ ની જીઁદગી બનાવી તેને પ્રગતિના પઁથે લઇ જવામાઁ મદદરૂપ છે. આનાથી મને સઁતોષ છે” તો કોઇ નુઁ બોલેલુ દિલને નથી લાગતુ પણ એક સારા માણસ બન્યાનો સઁતોષ થાય છે અને કોઇનુઁ ફ્યુચર બને તેમા આનઁદ આવે છે. બાકી નસીબમાઁ હોય તો અનેક ચીજો ઇછ્છા કરો, મહેનત કરો તો જે નસીબમાઁ હોય તે મળવાનુ હોય તો મળેજ છે. ટ્યુશન કરીને પણ શિક્ષક વધુ પૈસા કમાઇને વટથી બધુ લાવી શકે છે અને તેને માન આપનારા મળી આવે છે - પણ ખરેખર તો માનવીમાઁ સઁતોષ એજ મહા સુખ હોય તેજ સુખી - જે સ્થિતિ માઁ રામ રાખે રહીએ - સઁઘર્ષ એજ જીઁદગીનુ બીજુઁ નામ અને જે તરી જાય તેજ સાચુઁ. બોલવુ સહેલુ છે, આપવીતી મુજ વિતશે - એવુઁ કહેનારા ઘણા હશે. પણ એક વાત હકીકત છે - જે નસીબમા હોય તેજ સાચુ અને તેવે વખતેજ ભગવાન પરિક્ષા લે છે અને તમે હસતા મોઢે જો સમય પસાર કરો તો ફતેહ છે આગે....આ શિક્ષકને દુ:ખ કર્યા વગર, નેગેટીવ વિચાર્યા વગર પોતાના શિક્ષક રહેવાથી અનેક બાળકોનુ ભવિષ્ય ઉજળુઁ કર્યુઁ તેજ વાતનુઁ ગર્વ હોવુઁ જોઇએ. કુતરા ભસે અને લોકો સાઁભરે તે હવે જમાનો નથી રહ્યો. લોકોને નીઁદા કરવાની આદત હોય છે. મન નિર્મળ હોય તો દુ:ખ શા માટે? <br /><br />- ઇલાક્ષી પટેલ <br /><br /><a href="http://bp1.blogger.com/_-UmVCJrVqFE/Rygxr-5Y3sI/AAAAAAAAAEc/ZfeIyqfgveU/s1600-h/kidsfsalexa_thumbnail.bmp"><img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;" src="http://bp1.blogger.com/_-UmVCJrVqFE/Rygxr-5Y3sI/AAAAAAAAAEc/ZfeIyqfgveU/s320/kidsfsalexa_thumbnail.bmp" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5127402807449149122" /></a><br /><br /><a href="http://www.kidsfreesouls.com">www.kidsfreesouls.com </a>ilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-82016355508594321682007-09-16T15:25:00.000+05:302007-09-16T15:31:08.528+05:30Divya Bhaskar CoverageOnce again, Guardian of Angels is in the Press! The POD (Print on Demand) Technology is yet a long way - However, you can find more details here on my <a href="http://kidsfreesouls.blogspot.com/">Guardian of Angels-Amazon.com Syndicated Blog.</a><br /><br />The direct link to the coverage can be found here on <a href="http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?queryed=2&eddate=9%2f13%2f2007">Divya Bhaskar E-paper</a>. Somehow, the coverage did not appear in main online Supplement as I guess DB cuts on side track Supplement news and places on the E-paper. Whatever, Enjoy!<br /><br />You can find a link on <a href="http://www.kidsfreesouls.com/press.htm">Kidsfreesouls.com 'In The Press' </a>soon on this. Also the forthcoming article on my 'Journey to Amazon.com'<br /><br />- ilaxiilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-76889699442163180932007-09-03T11:41:00.000+05:302007-09-03T12:31:11.350+05:30Guardian of Angelsપ્રત્યેક માતાપિતાએ વાંચવા જેવું પુસ્તક - ગાર્ડિયન ઓફ એન્જ્લ્સ<br />- રવિન્દ્ર ઠાકોર, કિતાબઘર કોલમ, લોકસત્તા-જનસત્તા, (અમદાવાદ અને બરોડા)(૧૭-૬-૨૦૦૭)<br /><br /><iframe style="WIDTH: 120px; HEIGHT: 240px" marginwidth="0" marginheight="0" src="http://rcm.amazon.com/e/cm?t=kidsfanetnewspfo&o=1&p=8&l=as1&asins=1419631136&fc1=000000&IS2=1<1=_blank&lc1=0000FF&bc1=000000&bg1=FFFFFF&f=ifr" frameborder="0" scrolling="no"></iframe><br /><br />ઇલાક્ષી પટેલ રચિત એંગ્રેજી પુસ્તક 'ગાર્ડિયન ઓફ એન્જલ્સ મહત્વનું પુસ્તક છે. ગૌરવ આનંદપૂર્વકના માતૃત્વ-પિતૃત્વને તે આલેખે છે. તે અંગેની તેમાં મહત્વની નિર્દેશિકા છે. ગૌરવભર્યા, આનંદ રચ્યાં મા-બાપ બનવું તે પણ લહાવો છે અને એક કર્તવ્ય પણ. આમાં શૈશવ વિકાસ, પ્રશ્ન ઉકેલ, બાળકોનાં વલણો, તેમનાં પ્રત્યેનું વર્તન, કમ્પ્યુટર આદિ નવી તકનીક બાળકોને કેટલી ઉપયોગી, શિશુને પૂરું સમજવું, તેની પૂર્ણ સમજણ આદિ વિષયો પર ચિંતનશીલ શૈલીમાં ધ્યાન દોરાયું છે. માતા પિતા અને સંતાન નરવું સમભાવ-સમતા અને સૌહાર્દ પ્રગટે તે જ ધ્યેય છે. પ્રત્યેક માતા-પિતાએ વાંચવા જેવું પુસ્તક.<br />****************************<br />મારા પુસ્તકનો પરિચય ખુબજ ટુકમાં રવિન્દ્રભાઈએ ઘણું કહી દીધું. મને ખબર હતી કે ભાઈએ મારુ પુસ્તક રવિન્દ્ર ભાઈને વાંચવા આપ્યું હતુ. આ છપાયાની જાણ મને એક મહિના પછી થઈ અને મને આ કોપી મને એક મહિના પછી મળી!<br /><br />આ રીવ્યુ, અહીં મુકવાનો હેતુ એ કે દરેક પેરન્ટસને અત્યારે સજાગ રહેવાની જરુર છે અને આ પ્રકારના પુસ્તક બહાર પડે તે હવે જરુરની વાત છે.આ પુસ્તકના મોટા ભાગના લેખ મારા 'ફ્રિ-સોલ્સ' પેજ જે સમભાવમાં પ્રગટ થતું હતું તેમાં છપાઈ ચુકેલા છે. 'ફ્રિ-સોલ્સ' ના ચાહકો મહેસાણાં, બરોડા, લિંબડી વિ. સ્થળોથી મને પત્રો મોકલતા હતા અને મને અનેક ટોપિક પર લખવાનું પણ સજેસ્ટ કરતા. આને પુસ્તક તરિકે પ્રગટ કરવાનું મારું ધ્યય એ હતું કે મારું પ્રિન્ટ લખાણનો એક નાનો ભાગ પણ મારા નેકસ્ટ જેનેરેશન અને અનેક પેરેન્ટસ માટે ડેડીકેટ કરુ. અને ઇન પ્રોસેસ, એક ખુબજ અદભુત અનુભવ થયો કે ઇન્ટરનેટ માધ્યમથી કેવી રીતે તમે કાંઇ હાંસીલ કરી શકો છો. તમે ખુદ લેખક, ખુદ માર્કેટીંગ કરો, ખુદ પ્રેસ રીલીઝ કરો - તમારા બજેટ પ્રામાણે અને ઇચ્છા પ્રમાણે પુસ્તકને પ્રોમોટ કરી શકો...<br /><br />તમે 'બ્લુક' શબ્દ સાંભ્ળ્યો છે? તમારા બ્લોગને બુકમાં ફેરવો એટલે 'બ્લુક' - મારો મર્મ સમજી ગયા હશો...જે સારા બ્લોગ લખે છે તેને એક મેસેજ છે કે જો તમારું લખાણ આવી કોઇ બુકમાં ફેરવશો તો ખરેખર ખુબજ અમુલ્ય પુસ્તક બહાર પડશે. જે કોમ્પ્યુટપ લિમીટેશન રહે છે વાંચવામાં અને સંગ્રહ તરીકે પણ આવી ચોપડી અમુલ્ય બને. ખાસ કરીને, સુરેશભાના ગુજરાતી લિટ્રેચર પ્રોફઈલ અને વિવેક ની અને અનેકની કવિતા....<br /><br />અમેઝોન અને લુલુ તથા અનેક માધ્યમ થ્રુ પુસ્તક બહાર પાડી શકાય છે.<br /><br />- ઇલાક્ષી<br /><br />- Check on for my more <a href="http://www.kidsfreesouls.com/press.htm">Press coverages </a>at Kidsfreesouls.comilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-74699966287854306722007-08-08T15:57:00.000+05:302007-08-22T17:54:58.022+05:30હસતા ચહેરે મૌન જાળવવાની મઝાહસતા ચહેરે મૌન જાળવવાની મઝા<br />- ભુપતભાઇ વડોદરિયા<br /><br />કેટલાક લોકો કશું ખાનગી રાખી શકતાં નથી. તેઓ એવું કહે છે તે અમે તો પેટ છૂટી વાત કરવામાં માનીએ છીએ. અમારી આવી નિખાલસતાથી કેટલાક નારાજ થાય છે. અને એવું માને છે તે ખાનગી જેવું કશું હોવું જ ના જોઇએ. કેટલીકવાર આવી ખુલ્લી વાતો કરવાથી મિત્રો અને સંબંધીઓને નુકસાન થાય છે.<br /><br />ડાહ્યો માણસ કોઇની ખાનગી વાતો ફેલાવવામાં એવું માનતો નથી કે જેમના વિશે આ વાતો હોય છે. તેમને આ વાત બહુ સારી લાગતી નથી. ઘણા બધા માણસો એ સાદી વાત સમજતા નથી કે બીજી કોઇ પણ વ્યક્તિ વિશે ખાનગી વાત ઘણા બધા ફટાકડાની જેમ ફોડે છે. આ જાતના દબાણને લીધે ઘણા બધા માણસો ક્ષોભકારક સ્થિતિમાં મુકાઇ જાય છે. એક વાત સમજવાની જરૂર છે કે કોઇપણ વ્યક્તિ વિશે ખાનગી વાત ઢોલ પીટીને જાહેર કરવાથી કોઇને કશો લાભ નથી. કેટલાક એવી શેખી કરે છે કે મારું તો ભાઇ એવું છે કે ગમે તેવો મોટોે માણસ હોય અને એની કોઇ નબળી કડી હોય તો તેની ઉપર મૌનનો પડદો ઢાંકવામાં આપણે માનતા નથી. એવા માણસો હોય છે કે જે કોઇના વિશે કશું ગુપ્ત રાખવામાં માનતા નથી. આ પ્રકારની વાતો ખુલ્લંખુલ્લા કરવાથી ઘણી બધી વ્યક્તિઓને નુકસાન પણ થાય છે અને માઠું પણ લાગે છે. જે લોકો હોઠ બંધ રાખવામાં માને છે તેમનો સ્વભાવ ઘણા બધાને વખાણવા જેવો લાગે છે.<br /><br />કેટલાક માણસો ગમે તેના વિશે ગમે તેવી વાતો બોલ્યા કરે. એમને સમજાતું નથી કે કોઇનાં પણ વિશે આવી વાતો કહેવાથી બોલનાર અને સાંભળનારનું માન ઘટે છે. આપણે સૌ જાણીએ છીએ કે જાહેર જીવનમાં પડેલા માણસો જે કંઇ બેધડક બોલે છે તેનાથી તેને પોતાને અને બીજા ઘણાંને નુકસાન થાય છે. ઉચ્ચ હોદૃા પર રહેલી કેટલીક વ્યક્તિઓએ મોટા માણસો વિશે રહસ્ય જેવી વાતો કરીને જાહેર હિતને નુકસાન થયું હોય એવું પરિણામ આવ્યું છે. આપણા દેશના રાજકારણમાં આવા ઘણા દાખલા બન્યા છે. આવી વાતનો સાર એ છે કે કોઇની પણ વાતો સંદર્ભ વગર કહેવાથી કોઇને કશો ફાયદો થતો નથી. એક વાત સમજવા જેવી છે કે બધી જ વાતો ખાસ કોઇ કારણ વગર જ્યાં ને ત્યાં જાહેર કરવાથી સરવાળે બોલનાર અને સાંભળનાર બંનેની આબરૂ ઘટે છે. એક વાત સમજવા જેવી છે કે કાં તો તોળી તોળીને બોલો અને કાં તો હસતા ચહેરે મૌન જાળવો.<br /><br />આપણા દેશમાં ઘણાં બધા માણસો પોતે નીડરતા બતાવવા ઠીક પડે એવાં નિવેદનો કરે છે અને પછી એવું બતાવે છે કે પોતે કોઇ પણ નિવેદન બેધડક કરવામાં માને છે. અને કોઇની આંખની શરમ રાખવામાં માનતા નથી. આવા લોકો એવું માને છે કે ગમે તેવી સ્ફોટક વાત જાહેર કરવાની હિંમત જોઇએ.<br /><br />જાણવા જેવી વાત એ છે કે માણસોને ઉઘાડી ચોપડીની જેમ બધું વાંચી સાંભળાવાનું નથી. કોઇક એવી દલીલ કરે છે કે ખાનગી જેવું કશું જ ના જોઇએ. નાની મોટી વાતોમાં ગુપ્તતા ઊભી કરવી એનો કોઇ અર્થ નથી. એ વાત સાચી છે કે દરેક વાતને ઊંચા અવાજે જાહેર કરવી જરૂરી રહેતું નથી. બીજું આપણે કોઇને કંઇ પણ કહીએ પણ નજીકનું પણ નજીકનું સંબંધી હોય તે પણ ખાનગી રાખી શકાતું નથી. કેટલાક માણસો એ સમજતા નથી કે ખાનગી રાખવાને બહાને ત્રીજી વ્યક્તિને ઘણું બધુ નુકસાન થાય છે. ઘણા બધા લોકો ખાનગી વાતને બને તેટલી વધુ કહેતા રહે છે. આપણે જોઇ શકીએ છીએ કે ખાનગી વાતો કરવામાં માણસો જાણે રહસ્ય ખોલતા હોય એવું માની લે છે. કોઇ વળી કહે છે કે આપણે ભાઇ ખાનગી રાખવામાં માનતા જ નથી. કોઇની પણ વાત હોય આપણે તો બોલી નાખવામાં જ માનીએ છીએ. ઘણાં લોકો ઘણી બધી વાતો વિના કારણે ગુપ્ત રાખે છે. આવા લોકો એવું માને છે કે ઘણા બધાં રહસ્યો મારી પાસે હોય છે. પણ કોઇ વાત ખાનગી રહે એ શાણપણની નીતિ છે. છતાં મનુષ્ય સ્વભાવ જ એવો છે કે ઘણાં બધા લોકોને ખાનગી વાતો ફેલાવવી ગમે છે. એ લોકો સમજતા નથી કે આવી ખાનગી વાતો જેને ગમે છે તેને કહેવામાં સંબંધકર્તા બધાને નુકસાન જ કરે છે. <br />__________________<br /><br />વાત સાચી છે. ઘણા બધા રહસ્ય મનમાં સમાયેલા હોય છે. જો હસતા ચહેરે મૌન રાખીએ તો એ શાણપણની નીતી છે. કહે છે "આપવીતી મુજ વિતશે..." ત્યારે ખ્યાલ આવે છે કે બીજા પર શું વિતે છે. માઠુ લાગે અને બીજાને નુકશાન થાય તેની ચિંતામાં ખુદ પોતાને ગાલે લાફો મારીને સામાને સારુ લગાડવાની વાત છે ! છતાં બીજાને આપણા વેણથી નુકશાન ન થાય માટે મૌન રાખવું અને તેમાં આપણી સભ્યતા અને સંસ્કાર છે. એક 'ડ્યુક રોબિન્સનની ચોપડી - ટ નાઈસ ફોર યોર ઓન ગુડ દરેક આ જમાના ના યુવાનોએ વાંચવા જેવી છે. - ઇલાક્ષી પટેલilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-18549834297413987552007-07-27T15:40:00.000+05:302007-07-27T15:43:02.331+05:30પુરુષાર્થ જ છેવટે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશેપુરુષાર્થ જ છેવટે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે<br />- ભુપતભાઇ વડોદરિયા<br /><br />આપણે મોટાભાગે પરીક્ષામાં પાસ-નાપાસના આધારે વિદ્યાનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે જોવું છે કે માણસ માત્ર મેટ્રીક પાસ હોય પણ એણે ગ્રેજ્યુએટ પણ બાજુએ રહી જાય એવી વિદ્યા સંપન્ન કરી હોય. દેશના નેતાઓ પર નજર કરીએ તો એ લોકોએ ભણવામાં મોટી સિદ્ધિ મેળવી ન હતી. પણ જિંદગીની પરીક્ષામાં કોઈપણ ડિગ્રીને આંટી દે તેવી વિદ્યા હાંસલ કરી હતી.<br /><br />મહત્ત્વ ડિગ્રીનું નથી પણ વિદ્યાને માટે તમે શું પ્રાપ્ત કર્યું તેનું છે. માણસ ખૂબ ઓછી ડિગ્રી ધરાવતો હોય પણ એનો પોતાનો જ્ઞાનનો કોશ બહુ વિશેષ હોય એમ બને છે. દુનિયાના મોટા માણસો માત્ર ડિગ્રીના આધારે નહીં પણ તેમણે જાતે જે વિદ્યા પ્રાપ્ત કરી તેના આધારે આગળ વધ્યા. મહાત્મા ગાંધી કોલેજની દૃષ્ટિએ બહુ બાહોશ વિદ્યાર્થી ન હતા. પણ એમણે જિંદગીની કિતાબમાંથી જે સંપન્ન કર્યું એ કોઈપણ ડિગ્રીને ટપી જાય એવું હતું.<br /><br />આપણા દેશના મોટા નેતાઓએ જે કાંઈ હાંસલ કર્યુ એ એમની પોતાની સંપત્તિ હતી, નહી કે કોઈ કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રીના આધારે હતી. એમણે ડિગ્રી માટે શું કર્યુ એ મહત્ત્વનું નથી. પણ તેમણે જીવનની ખુલ્લી કિતાબમાંથી કેટલું ગ્રહણ કર્યુ તે જ મહત્ત્વનું છે.<br /><br />માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પણ મોટા માણસોની સિદ્ધિઓ ડિગ્રી આધારિત ન હતી, તેઓ સામાન્ય કક્ષાના વિદ્યાર્થી હતા. બ્રિટનના મહાન વડાપ્રધાન સ્વ. વિન્સ્ટન ચર્ચિલનો દાખલો આનું એક સારું ઉદાહરણ છે. તેઓ શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન કંઈ બાહોશ વિદ્યાર્થી હોય તેમ બહાર આવ્યું ન હતું. હકિકતે તેઓએ પોતે કબૂલ્યું છે કે તેઓ છેલ્લી પાટલી પર બેસનારા વિદ્યાર્થી હતા અને તેથી જ તેઓ વડાપ્રધાન બન્યા પછી જ્યારે એક શાળાની મુલાકાતે ગયા ત્યારે તેમણે વર્ગની મુલાકાત લીધી. તેમણે પ્રથમ પાટલી પર બેઠેલાને બદલે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કરીને કહ્યું ઃ હું પણ તારી જેમ છેલ્લી પાટલી પર જ બેસતો હતો.<br /><br />જિંદગીની કિતાબમાં કોઈ મહત્ત્વની ડિગ્રીઓ ન હોવા છતાં સિદ્ધિના સોપાનો સર કરનારા આપણા દેશમાં પણ અનેક પડેલ છે. સ્વ. નાનજી કાળીદાસ અને સ્વ.ધીરુભાઈ અંબાણી આના ઉત્તમ ઉદાહરણો છે. નાનજીભાઈ પાસે કોઈ મહત્ત્વની ડિગ્રી ન હતી. વળી તેઓ કોઈ મોટા શહેરમાં પણ ન હતા અને તેથી સવલતો પણ મેળવી શક્યા ન હતા. છતાં સ્વબળે આગળ વધ્યા, વિદેશ ગયા, સંપતિ અર્થ અને અનેકને પોતાના કાર્યમાં સામેલ કર્યા.<br /><br />આ જ રીતે સ્વ. ધીરુભાઈ અંબાણી પણ એક સામાન્ય શિક્ષકના પુત્ર હતા. મેટ્રીકમાં નપાસ થયા હતા. શાળાના અભ્યાસમાં તેઓ ખાસ કંઈ બાહોશ ન હતા. તેઓનું ગણિત પણ કાચું હતું. છતાં કમાવા માટે વિદેશ ગયા અને પેટ્રોલપંપ પર નોકરી કરતાં કરતાં આગળ વધ્યા અને ભારતમાં આવી પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો અને સ્વબળે અબજોપતિ બન્યા. તેઓએ પોતાને મળેલા ઓછા શિક્ષણને ક્યારેય દોષ ન દીધો પણ પોતાની કાબેલિયતથી આગળ વધ્યા.<br /><br />જીવનમાં દરેકને માટે આ એક વાસ્તવિક્તા છે. પાંચે આંગળીઓ સરખી નથી. તે જ રીતે તમામ બાળકો કે કિશોરો ભણવામાં સરખાં પરિણામો હાંસલ કરી શકતાં નથી. કોઈ કોઈ પ્રથમ હરોળમાં સફળ બને છે તો કોઈ કોઈ નિષ્ફળ પણ રહે છે અને ડિગ્રી પણ મેળવી શક્તા નથી. પરંતુ તેથી જિંદગીના મેદાનમાં હતાશ થવાની જરૃર હોતી નથી. ભણતરમાં સફળ રહી ડિગ્રી માત્ર મેળવવાથી જ જિંદગીની કૂચ પૂર્ણ થતી નથી. તેથી ઊલટું શાળા કે કોલેજની પરીક્ષામાં નિષ્ફળ રહી, ડિગ્રી ન મેળવી શકવાથી કાંઈ જીવનની યાત્રા પૂર્ણ થઈ જતી નથી. પરીક્ષામાં પાસ કે નપાસ એ જીવનની સંઘર્ષયાત્રાનું પ્રથમ સોપાન છે અને તેથી જ બીજા સોપાનો સર કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.વિશ્વના મહાન નેતાઓએ પોતાના જીવન દ્વારા એ હકિકત સાબિત કરી છે કે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી, શિક્ષણ, ડિગ્રી હોય કે ન હોય પુરુષાર્થ જ છેવટે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે. ભાગ્યને સહારે બેસી ન રહેતાં કર્મનો જ આધાર જીવનમાં સફળતાની ચાવી બને છે.ilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-46327489882431995132007-06-26T22:05:00.000+05:302007-06-26T22:17:47.937+05:30જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દોજિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો<br />- ભુપતભાઇ વડોદરિયા<br /><br />મોટી ઉંમરે માણસને સૌથી નડતી સમસ્યા છે હવે કરવું શું? માંદા થઇને પથારીમાં પડી રહેવું કે નિરોગી જીવન જીવવું? માંદગી હોય તો પણ શું સક્રિય રહી જીવન સાર્થક ન કરી શકાય? હકીકત એ છે કે સામાન્ય રીતે માણસો ઉંમર વધવાની સાથે મોટાભાગે મનથી જ હારી જતાં હોય છે. એકવાર મનથી હારી જાય પછી ખરેખર જીત પણ પિછાની શકતો નથી.<br /><br />મોટી ઉંમરે પણ માણસે સંતોષ થાય અને જીવન સાર્થક થાય તેવું કાર્યક્ષેત્ર શોધી કાઢવું જોઇએ. પછી એમાં ગૂંથાઇ જવું જોઇએ. મુખ્ય વાત પ્રવૃત્તિની છે. માત્ર રોજી-રોટીની જ પ્રવૃત્તિ રહેવી ન જોઇએ. જેમના જીવનમાં કાર્યપદ્ધતિનો ગુંજારવ ચાલુ રહે છે ત્યાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક મધ નિપજ્યા વગર રહેતું નથી. જેઓ કાંઇ કરતાં નથી તેઓ વહેલા થાકીને બેસી જાય છે.<br /><br />ઘણા બધા માણસો પોતાની નિષ્ક્રિયતા અગર અલ્પ પ્રવૃત્તિનો બચાવ કરતાં કહેશે કે, સાહેબ, આવડત તો એટલી બધી છે. કામ કરવું પણ એટલું બધું ગમે છે. પણ અત્યારે કાંઇ કરી શકતો નથી, કેમ કે પત્ની બીમાર છે. આવા માણસોને પૂછીએ કે ખરેખર પત્ની બીમાર છે તો તમે રસોઇ બનાવતાં શીખી ગયા? શું બધાંને રસોઇ કરી જમાડો છો? શું તમે ઘર સંભાળો છો? શું તમે પત્નીની ચાકરી કરો છો? આવા પ્રશ્નોનો જવાબ કાં તો ના કહેશે કે કાં હા- ના જેવો હશે.<br /><br />વાસ્તવિકતા એ છે કે કેટલાક કિસ્સામાં આવાં કારણો સાચાં હશે, પણ મોટા ભાગના કિસ્સામાં સાચાં કારણો માણસે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ‘હેંગર’ તરીકે લટકાવવા રાખેલાં હોય છે. અરે, ઑફિસે મોડો પહોંચનાર પણ ઘેર માંદગીનું બહાનું આગળ કરે છે. મોટાભાગના માણસો આવાં નાનાં- મોટાં બહાનાંનો મોટો પડદો તૈયાર રાખે છે અને તેની પાછળ ઘણીબધી નિષ્ક્રિયતા અને આળસ ઢાંકે છે.<br /><br />૫૫ થી ૬૦ વર્ષની ઉંમરના માણસોને તમે ‘પેંશનર્સ પેરેડાઇઝ’ના ઓટલે વાતોના ગપાટાં મારતાં જુઓ ત્યારે થાય કે આ બધાં કેમ આવી રીતે બેસી ગયા હશે? તેમનો દીકરો ડૉક્ટર કે એન્જિનિયર, સરકારી અમલદાર કે ખાનગી કંપનીમાં સીઇઓ હોય તે સારી વાત છે. પણ તેથી તેમણે બેસી જવાને બદલે પ્રવૃત્તિની નવી દિશા પકડવી જોઇએ. સામાજિક સેવાનું પારાવાર કામ પડયું છે. આવો એક માણસ મેં જોયો હતો બહુ ભણેલો ન હતો, પણ એણે એક કામ ઉપાડી લીધેલું જેમને ઘેર મરણ થયું હોય ત્યાં સ્મશાનઘાટ સુધી મદદરૂપ થવાનું. આમાં કોઇ કમાણી ન હતી, રડનારનાં આંસુ લૂછવાની વાત હતી. સમાજને ઉપયોગી થવાં આવા નાનાં- મોટાં લાખ કામ રાહ જોઇને પડયાં છે. માણસ ઇચ્છે તો તેને ઘડીકે નવરા થવું ના પડે એટલું કામ છે.<br /><br />આવું મૂંગું કામ કરવાને બદલે માણસ અત્યારે મોટા પાટિયાં મારીને આળસને લાડ લડાવતી કલબ- પ્રવૃત્તિમાં ડૂબી જવાનું પસંદ કરે છે અને તેમ ન હોય તો પોતાની નિષ્ક્રિયતાને ધાર્મિકતાનો કેસરી સાફો બાંધી દે છે. સંસારમાં આટલા બધા માણસો નાની- મોટી વેદનામાં પીડાતા, પીસાતા હોય છે. કોઇની મદદથી હાથ લાંબો થતો જોવા ઇચ્છે છે. આવા વખતે ઈશ્વરના નામે નિવૃત્તિની પછેડી ઓઢી લેવાનું કેટલું શોભાસ્પદ બને?<br /><br />તમારી ઉંમર ગમે તે હોય, તમારી તબિયત ગમે તેવી હોય, પરંતુ મનથી હારી ન જાવ અને જીવન ફરીથી જીવવાનું શરૂ કરો. મોડું થતું નથી હોતું. કોઇક મનપસંદ કામ કરીને તેનો યજ્ઞ આરંભી દો. મોતની કોઇને ખબર નથી. એ ક્યારે, કેવી રીતે આવશે તેની કોઇને ખબર નથી. જેના આવવાનો સમય નક્કી નથી તેની રાહ જોઇ સમય ન બગાડો, જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો. જે તમારી નજર સમક્ષ છે તે જીવનને જીવવાનું શરૂ કરો, જેમ જિંદગીમાં નિર્ભેળ સુખ કે દુઃખ જેવું નથી. તેમ જીત કે હાર પણ સ્પષ્ટ નથી. મૃત્યુની રાહ ન જુઓ. નક્કી કરો કે એ આવશે ત્યારે હું સૂતો તો નહીં જ હોઉં!<br /><br />( ભુપતભાઇના લેખ સમભાવ મેટ્રો, અભિયાન, જનસત્તા, સઁદેશ, દિવ્ય ભાસ્કર, વિગેરેમાઁ છ્પાય છે. ) <br />************<br />એક જમાનામાઁ ભાઇના લેખ ગુજરાત સમાચારમાઁ આવતા. ત્યારે, હુઁ તેનો સઁગ્રહ એક લેખકની પ્રસઁશક તરીકે કરતી. તેઓ તેમાઁ લગ્ન મઁગળ લખતા. પછી સમય જતા, ભાઇના સઁબઁધી થવાનો અવસર પ્રાપ્ત થયો અને આજે ફરી એક પ્રસઁશક (ફેન) તરીકે નેટ પર મને ગમતા લેખોનો સઁગ્રહ કરુઁ છુ. ભાઇને જયારે આ વાત કરી કે મેઁ તમારો બ્લોગ બનાવ્યો છે તો તેમને ઘણી ખુશી થઇ અને કહે કે સરસ, જ્ઞાન સદા વહેઁચતા રહેવુ.<br /><br /> - ઇલાક્ષી પટેલilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-63321334684822921052007-06-13T18:32:00.000+05:302007-06-26T22:04:03.779+05:30સત્યની બોલબાલા કે જુઠ ફરેબની દુનિયાસત્યની બોલબાલા કે જુઠ ફરેબની દુનિયા<br />- ભુપતભાઇ વડોદરિયા<br /><br />સુભાષિતમાઁ એવુઁ કહેવામાઁ આવે છે કે સત્યનો જય થાય છે ને પાપીને દઁડ થાય છે, પણ આપણે સગી આઁખે જોઇએ છીએકે સત્યની બોલબાલા નહીઁ પણ જૂઠની બોલબાલા છે. ઇશ્ર્વરના નામે લોકો અનેક જૂઠાણાઁ ચલાવે છે. પણ આવા લોકોને તે શિક્ષા કરે છે તેવુઁ જોવા મળતુઁ નથી.<br /><br />એક મિત્રે કહ્યુઁ, “મને હવે કોઇનો ભરોસો કરવા જેવુઁ લાગતુઁ નથી. મને મારી જાતનો પણ વિશ્વાસ નથી. લોકો કહે છે કે ઇશ્વરનો ભરોસો કરો, પણ મને ઇશ્વરનો ભરોસો પણ કરવો ગમતો નથી. મને કોઇનો વિશ્વાસ કરવા જેવુઁ લાગતુઁ નથી. મેઁ જોયુઁ છે કે કોઇનો વિશ્વાસ કરવો એ છેતરપિઁડીનો ભોગ બનવા જેવુઁ છે. લોકો કહે છે કે ઇશ્વર સત્યના પડખે છે, પણ મને લાગે છે કે આ કળિયુગમાઁ ઇશ્વર પણ પૈસાદારોના પડખેજ છે. તેના પગમાઁ પૈસા મૂકે એની ઉપર એ મહેરબાન? આ લાઁચરુશવત નહી તો બીજુઁ શુઁ? કળિયુગમાઁ ઇશ્વર પણ ભ્રષ્ટાચારીઓનો જ છે. સાચુઁ કહો તોઅ ગરીબનુઁ કોઇ નથી અને આ કળિયુગમાઁ સાચુઁ બોલનારની પણ કોઇ કિઁમત નથી. ઇશ્વરના નામે લોકો પોતાના સ્વાર્થ માટે હળહળતુઁ જૂઠાણુઁ બોલે છે. જ્યાઁ ને ત્યાઁ પૈસાનુઁ જ ચલણ છે. સત્યની કે ન્યાયની કોઇ કિઁમત નથી. નમ્યા તે પ્રભુને ગમ્યા એમ કહેવામા આવે છે. આ સઁસારમાઁ જ્યાઁ ન્યાય જેવુઁ તો કાઁઇ જ નથી તો પ્રભુ કોના પક્ષે તેમ માનવુઁ? જે લોકો તેનાઁ ચરણમાઁ પૈસા મુકે તેના પર તે મહેરબાન, પણ તે પૈસા કઇ રીતે ને ક્યાઁથી મેળ્વયા તેનુઁ મહત્વ નથી! સુભાષિતમા એવુઁ કહેવામાઁ આવે છે કે સત્યનો જય થાય છે ને પાપીને દઁડ થાય છે, પણ આપણે સગી આઁખે જોઇએ છીએ કે સત્યની બોલબાલા નહીઁ પણ જૂઠની બોલબાલા છે. ઇશ્વરના નામે લોકો અનેક જૂઠાણાઁ ચલાવે છે પણ આવા લોકોને તે શિક્ષા કરે છે તે જોવા મળતુઁ નથી. આ તો મારે તેની તલવાર એવોજ ઘાટ છે. લોકો ઇશ્વરના નામે સોગઁદ લે છે, પણ એના નામે જૂઠુઁ બોલનારને કોઇ દઁડ દેતુઁ હોય એવુઁ તો દેખાતુઁ નથી.<br /><br />પ્રશ્ન એ છે કે માણસે કોનો વિશ્વાસ કરવો? સત્યનો વિશ્વાસ, ઇશ્વરનો વિશ્વાસ? પણ અત્યારે તોઅ વિશ્વાસ કરવા જેવુઁ કશુઁ રહ્યુઁ જ નથી. પિતા સગા પુત્રનો વિશ્વાસ કરતો નથી. પતિને પત્નિમાઁ વિશ્વાસ નથી. આમ જુઓ તોઅ કોઇ કોઇનો વિશ્વાસ કરતુઁ જ નથી. સોગઁદ આપીને સાચુઁ બોલાવવાની કોશિશ થાય છે, પણ બધાઁ જ જૂઠાણાઁ સાચુઁ બોલવાના સોગઁદને નામે જ થાય છે. પ્રશ્ન એ છે કે માણસે કોના ભરોસે જીવવુઁ? શા માટે જીવવુઁ? એવુઁ લાગે છે કે જુઠાણાઁના બજારમાઁ આપણે સત્ય શોધવા નીકળયા છીએ. સત્ય એટલે શુઁ? દરેક માણસ સત્ય પોતના પક્ષે હોવાનો દાવો કરે છે. સાચુઁ કે ખોટુઁ એની છેલ્લી પરીક્ષા કોણ કરે? આપણે કહીએ છીએ કે સત્યને પક્ષે પ્રભુ છે, પણ જીવનમાઁ એવુઁ જોવામાઁ આવે છે કે જૂઠુઁ બોલનાર જીતે છે અને સાચુઁ બોલનાર દઁડનો ભોગ બને છે એટલે કોઇ વાર પ્રશ્ન થાય કે છેવટે ન્યાય કોને પક્ષે છે?<br /><br />વાસ્તવિકતા એ છે કે જિઁદગીમાઁ નિર્ભેળ સત્ય કે નિર્ભેળ અસત્ય જેવુઁ હોતુઁ નથી. સઁપૂર્ણ વિશ્વાસ કે સઁપૂર્ણ અવિશ્વાસ જેવુઁ પણ હોતુઁ નથી. જિઁદગીમાઁ આખરે તો કોઇ ને કોઇના પર તો વિશ્વાસ મુકવોજ પડે છે. પિતા પુત્ર પર વિશ્વાસ ન મૂકે તોઅ તે પોતાના મિત્ર પર મૂકે છે. પતિ પત્નિ પર ન મૂકે તોઅ પોતાના સઁતાન પર મૂકે છે. વેપારી પોતાના પુત્ર પર ન મુકે તો મેનેજર પર વિશ્વાસ મૂકે છે. વિશ્વાસ મૂક્યા વગર જીવવુઁ અસઁભવ છે. આખરે આટલી મોટી દુનિયામાઁ દરેકને કોઇને કોઇના ઉપર વિશ્વાસ મૂકવોજ પડે છે, આવા વિશ્વાસ કે શ્રધાનુઁ સ્થાન ઇશ્વર હોય, સત્ય હોય, પિતા હોય, પુત્ર હોય, પતિ હોય કે મિત્ર હોય - વિશ્વાસ એ જીવનમાઁ અનિવાર્ય વાસ્તવિકતા છે. કોઇ એક વાર એકને હાથે વિશ્વાસભઁગને કારણે મુશ્કેલી ઉભી થાય તેથી જીવનભર અન્ય કોઇનામાઁ પણ વિશ્વાસ ન મૂકવો તેવુઁ વલણ યોગ્ય અને વ્યવહારુ નથી.<br /><br />************<br />- ઇલાક્ષી પટેલilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-58854420637291555482007-05-27T17:04:00.000+05:302007-06-26T22:03:33.691+05:30જે થાય તે સારા માટે જ હોય છેજે થાય તે સારા માટે જ હોય છે<br />- ભુપતભાઇ વડોદરિયા<br /><br />દુનિયા માણસને ડગલે ને પગલે મહેણાઁ મારે છે. માણસે એ મહેણામાઁથી પડકાર ઉપાડી લઇને પરાક્રમનો પઁથ કઁડારી કાઢવો જોઇએ. મહેણાનો જવાબ વળતુઁ મહેણુઁ નથી. મહેણાનો જવાબ છે પ્રતિજ્ઞા અને પરાક્રમ. રાજાના ખોળામાઁ બેસવા માટે તારે કુખે જનમ લેવો પડશે એવુઁ મહેણુઁ અપરમાતાએ માર્યુઁ ત્યારે રાજકુમાર ધ્રુવ તપ કરવા ચાલી નીક્ળ્યા. કોઇક આપણને મહેણુઁ મારે છે ત્યારે આપણે તેનો જવાબમાઁ વધુ કડવાઁ વેણ ઉચ્ચારીને હૈયાની બળતરા ઠારીએ છીએ. મહેણુઁ મારનારને મનમાઁ ને મનમાઁ શાપ આપીએ છીએ અને તેનુઁ કડવુઁ વચન કડવાશરૂપે મનમાઁ સઁઘરીએ છીએ. પણ દુનિયામાઁ એવા માણસો હોય છે જેઓ આ મહેણાને વિધિનો સઁકેત ગણીને કોઇની પ્રત્યે કશી કડવાશ રાખ્યા વિના તપ કે તપશ્ર્યાના માર્ગે નીકળી પડે છે.<br /><br />નાની મોરીસ મોટર બનાવનારો મોરીસ મોટરની એક મોટી ફેક્ટરીમાઁ કારીગર હતો. મોરીસ ભારે બાહોશ મિકેનિક. એક વાર કારખાના પર મોડો પહોઁચ્યો - જોગાનુજોગ કારખાનાના માલિક મુલાકાતે આવેલા અને મોડા પડેલા મોરીસ પર તેમની નજર પડી. માલિકને મોરીસની હોશિયારીની ખબર હતી પણ શેઠ તે શેઠ! શેઠે કહ્યુઁ કે ઠીક પડે ત્યારે ફેકટરી ઉપર આવવુઁ હોય અને ઠીક પડે ત્યારે જવુઁ હોય તો જાતે જ માલિક થવુઁ. નોકરે તો કારખાનાનો સમય સાચવવોજ જોઇએ!<br /><br />મોરીસને એ મહેણુઁ હાડોહાડ વાગ્યુઁ. તેણે નોકરીને સલામ કરી અને જાતે મોટર બનાવીને જઁપ્યો અને એક નામ ઉભુઁ કરી ગયો. મોરીસ એ મહેણુઁ ખાઇને બીજા દિવસે શેઠની માફી માગીને કામ પર ચઢી જઇ શક્યો હોત. અગર એ મહેણુઁ પોતાના મર્મમાઁ ઝીલ્યા વગર તેને શેઠની સખતાઇઅ ગણીને બીજે ક્યાઁક કામે પણ લાગી જઇ શક્યો હોત. પણ એણે તો મહેણાને માથાના સાફાના છોગાની જેમ આગળ કર્યુ. એ મહેણાના ઢાળિયામાઁ એણે પ્રતિજ્ઞાનુઁ સીસુઁ પુર્યુ અને પોતાની જિઁદગી બદલી નાખી. દુનિયા માણસને ડગલે ને પગલે મહેણાઁ મારે છે. માણસે એ મહેણાઁમાઁથી પડકાર ઉપાડી લઇને પરાક્રમનો પઁથ કઁડારી કાઢવો જોઇએ. મહેણાનો જવાબ વળતુઁ મહેણુઁ નથી. મહેણાનો જવાબ છે પ્રતિજ્ઞા અને પરાક્રમ.<br /><br />આજકાલ આપણે એટલી બધી આક્ષેપબાજીથી ટેવાઇ ગયા છીએ કે આપણે કોઇ સચોટ મહેણાને પણ બહુ ગઁભીર રીતે લેતા નથી. આક્ષેપ કે મહેણાથી ઉશ્કેરાઇ ના જવુઁ તે સારી વાત છે - આપણામાઁ આવી સહિષ્ણતા હોય તે સાચી સ્વસ્થતાની નિશાની છે. પણ આપણી જાતે વિચારવા જેવુઁ એટલુઁ જકે બધુઁ કેમ મુદલ વાગતુઁ નથી? તેજ અશ્વને સહજે ચાબુક અડે અને તેની જે અસર થાય એવી અસર આપણા મન પર કેમ થતી નથી? મહેણાઁનો માર કેમ આપણે મૂઁગા મૂઁગા ખાઇ લઇએ છીએ? પ્રશઁસાના વેણમાઁ એક મીઠાશ છે, ગળપણ છે. તેની પણ માણસને જરૂર તો છે જ, પણ એકલી મીઠાશ તબિયત માટે સારી નહિ. જુના દિવસોમાઁ બાળકને એક યા બીજા નિમિત્તે કડવાશ જ આપવામાઁ આવતી - કડવાશ પેટનાઁ જઁતુઓને મારે છે, અને બાળકને નીરોગી રાખે છે.<br />આપણે દઁભ કરતા હોઇએ તોજ આપણી જીભમાઁથી એકલાઁ મધુર વચનો નીકળી શકે. મહાત્માઓ, અલબત્ત, અપવાદ ગણાય. બાકી અપણે માણસ છીએ એટલે આપણી જીભેથી કાઁઇક ને કાઁઇક કડવુઁ નીકળી પડવાનુઁ. પણ કડવાશમાઁ ડઁખ કે દ્વેષ ના હોવો જોઇએ એટલી તકેદારી રાખવી જોઇએ. કોઇ મહેણુઁ મારે, કડવુઁ વેણ કહે, શિક્ષા જેવો આદેશ સઁભળાવે ત્યારે એમાઁ આપણા માટે કાઁઇક ગુણકારી છે કે નહિ તે જોજો. તેમાઁ આવો સાર હોય તોઅ તે લઇ લેવો અને એને પચાવવો. બાકી તેને શબ્દોની લખોટી ગણીને લખોટીની રમતમાઁ પડી ના જવુઁ. કડવાબોલી માવડી, મીઠાઁબોલાઁ લોક માઁ થી એટલુઁ તો સમજાય છે કે જેના હૈયે આપણુઁ હિત હોય તે જ કડવો ઘુઁટડો પાય - જે કોઇ કડવો ઘુઁટડો પાય તેના હૈયામાઁ પણ કદાચ કુદરતે આપણુઁ હિત જ તે વ્યક્તિની પણ જાણ બહાર મૂક્યુઁ હશે તેમ માનવુઁ શુઁ ખોટુઁ છે?<br /><br />************<br /><br />અમારા પટેલ માટે કહેવાય છે કે જીભ કુહાડી જેમ ધારદાર હોય છે - પણ ભાઇ જેમ કહે છે, જાણે અજાણે જ્યારે કડવા વહેણ નીકળે છે તે ઘણી વખત સામેની વ્યક્તિ માટે સારા માટે હોય છે. પોસીટીવ અને નેગેટીવ જે રીતે લઇએ પરઁતુ તે શબ્દોની અસર તો થતીજ હોય છે કારણ કે દરેક માનવી ખુદ એક સામાન્ય લાગણીપ્રધાન હોય છે. પરઁતુ જ્યારે કોઇ કડવા વેણ કહે, આક્રોશ કાઢે ત્યારે તેમાઁ આપણુઁ હિત હોય છે અને ખરેખર જોવા જઇએ તો કડવા વચન કહેનાર પણ તેનો આક્રોશ કાઢે છે અને ત્યારે તેના પ્રમાણે તે સાચુઁ બોલી નાખે છે જે આપણને હૈયામાઁ લાગી આવે છે. કડવા ઘુઁટ પીવા સહેલા નથી પણ વિચારી જોઇએ તો ઘણી વખત આપણુ હિત તેમાઁ હોય છે. જે થાય તે સારા માટે જ હોય છે - એમ સમજીને ચાલવુ.<br /><br />- ઇલાક્ષી પટેલilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-52454054653157046182007-05-17T16:29:00.000+05:302007-05-17T16:40:48.514+05:30પુસ્તકપુસ્તક <br />- ભુપતભાઇ <br /><br />છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે! પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી! ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો? <br /><br />જે જુવાનને મનગમતાઁ પુસ્તકો વસાવવાની પોતાની અશક્તિ માટે લાગી આવ્યઁ હતુઁ એ જુવાન સાથે ઘણી બધી વાતો નીકળી. એમાઁથી એવુઁ સમજાયુઁ કે, પુસ્તકની વાત તો ઠીક છે, ઘણી બધી આવી બાબતોમાઁ જુવાન માણસને કશીક જરૂરી અને ઉપકારક સાધનસામગ્રીથી વઁચિત રહી ગયાની લાગણી થયા કરતી હોય છે. આ લાગણી એના અઁતરને પીડ્યા કરે છે. વઁચિત રહી ગયાની લાગણી એટલી તીવ્ર હોય છે અને એટલી નકારત્મક અસર કરે છે કે એક પછી એક વસ્તુઓ તેમની નજર સામે પસાર થઇ જાય છે. એ વ્યક્તિ એ કારવાઁને જોયા કરે છે, પણ કશુઁ ઝડપી લેવા તત્પર બનતી નથી! રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે? એ તો કોઇ વિધિમાઁ ભાગ લઇ શકે નહિ. ગઁગાના કિનારે રામક્રૂષ્ણે માત્ર જળથી અઁજલી આપવાનુઁ વિચાર્યુ પણ આઁગળીઓ જકડાઇ ગઇ. જલની અઁજલિ પણ આપી ન શક્યા. રામક્રૂષ્ણથી રડી પડાયુઁ. કોઇ પણ ઉમરે માતા જાય ત્યારે માણસનુઁ હ્રદય રડ્યા વગર રહી ન શકે. રામક્રૂષ્ણ સાચુકલા માણસ હતા. એમણે બતાવ્યુઁ છે કે માણસની અઁદર જ પુસ્તકોનાઁ પુસ્તકો હોઇ શકે છે. <br /><br />છેવટે માણસ પુસ્તક તરફ કેમ આટલો બધો ઉમટે છે? કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે? તોઅ માણસ જવાબમાઁ કહી શકે છે કે આ ચોપડી આપ નામદાર વાઁચી લો, તેમાઁ મારી બધી વાત આવી ગઇ છે. આવોજ અભિપ્રાય દોસ્તોવ્સીની મહાન નવલ કથા બ્રધર્સ કરામઝોવ માટે આપવામાઁ અવ્યો છે. વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇંસ્ટાઇને આ નવલકથા માટે એવુઁ કહ્યુઁ છે કે, કોઇ વૈજ્ઞાનિક ચિઁતક પાસેથી મને જે કાઁઇ મળે તેનાથી વધુ મને દોસ્તોવ્સ્કી પાસેથી મળ્યુઁ છે. પુસ્તકની ખરેખરી પ્યાસ જાગે છે ત્યારે તે ગમે ત્યાઁથી મળી જાય છે. આઇંસ્ટાઇન વાળ ન કપાવે, પણ પુસ્તક મેળવી લે અને લિઁકન સારાઁ કપડાઁ ન પહેરે, પણ પુસ્તક માટે પૈસા ખર્ચે. <br /><br />છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ કરી શકે છે. તે માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત નક્કી કરવાની છે. <br /><br />***********<br /><br />પુસ્તકો પર ભાઇનો આ લેખ એક વાત નુ જરૂર સુચન કરે છે કે મન હોય તો માનવી કોઇ પણ રીતે પુસ્તક મેળવીને વાઁચે છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. મારુ પુસ્તક ગાર્ડિયન ઓફ એંજલ્સ જ્યારે ઇનટરનેશનલી લૌંચ થયુઁ ત્યારે મને ખુબજ આનઁદ હતો કે હવે મારા બધા મિત્ર, સ્નેહિઓ અને સગા દુનિયાના કોઇ પણ છેડે હોય તો તે વાઁચી શકશે. ખરેખર એવુઁ બન્યુઁ કે જ્યારે મારા પબ્લિશરે થોડી કોપી મોકલાવી તે મેઁ મારા નજદિકના મિત્રોને ભેટ આપી અને તેનો અભિપ્રાય આપવા જણાવ્યુઁ. મહિના પછી તેઓને પુછતા એક બે બાકાત કરતા સર્વે જવાબ આપ્યો કે સમયજ નથી મળ્યો એક પાનુઁ ખોલવાનો પણ! અનેક ચીજ વસ્તુઓ ખરીદી શકે પણ પુસ્તક માટે એવુ નથી હોતુ. જે પુસ્તક અહી દેશમાઁ અવૈલેબલ નથી તે ફ્ક્ત ઇંટર્નેશલ વેબ્સાઇટ અને બૂકસ્ટોરમાઁ મળે છે, તે પુસ્તક ગાર્ડિયન ઓફ એંજલસ ના આજ સુધીના ખરીદનાર માત્ર મારા ધોરીયા મિત્રો છે! કહેવાનો મર્મ એટલો કે પુસ્તક વાઁચવાની આદત હોતી નથી અને આદત હોય તો પોતાના ઓળખીતા લેખકનુઁ મહત્વ હોતુઁ નથી. ભાઇના અનેક પુસ્તકો તેમણે ઘણાને આપ્યા પણ મને અનુમાન છે કે ભાઇની ચોપડીઓ જે ખરીદીને વાઁચે છે તે ભેટ મેળવેલી વઁચાતી નથી. પુસ્તકની પ્રત્યે ચાહ અને પ્યાસ જાગે તે જ અગત્યનુઁ છે. ખુદ વાઁચો અને બાળકોને પણ વાઁચન પ્રત્યે એંકરેજ કરવુ જરૂરી છે. <br /><br />- ઇલાક્ષી પટેલ <br />Author: <a href="http://www.amazon.com/Guardian-Angels-Practical-Joyful-Parenting/dp/1419631136/ref=sr_11_1/102-2176793-9916949?ie=UTF8">Guardian of Angels: A Practical guide to Joyful Parenting</a><br />Now, also available at Google Books! Find more Book links at <a href="http://www.kidsfreesouls.com">kidsfreesouls.com </a>ilaxihttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-327898531538835082007-04-11T16:00:00.000+05:302007-04-11T16:02:54.304+05:30ઉત્તર ગુજરાત રત્ન: વસઁત પરીખઉત્તર ગુજરાતના રત્ન<br /> <br />આપણે ત્યાઁ માણસ જાહેરજીવનના રાજકારણ સિવાયના કોઇ પણ ક્ષેત્રે ભલે મોભાદાર સ્થાન ધરાવતો હોય યા તે ક્ષેત્રમાઁ તેની ઉલ્લેખનીય કામગીરી હોય છતાઁ જો તે ચાલુ મઁત્રી કે મુખ્યમઁત્રી, પૂર્વ મુખ્યમઁત્રી ન હોય તો એના અવસાન સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાઁ આવતુઁ નથી. જો કે આવા માણસોને જનતાનુઁ ઓનર એટ્લુ બધુ મળે છે કે તેને સરકારી ગાર્ડ ઓફ ઓનરની જરુર પડતી નથી. પરઁતુ સરકારમાઁ અમુક નિર્ણય સારા લેવાતા હોય છે. થોડા સમય પહેલા, કે.કા.શાસ્ત્રી અને તાજેતરમાઁ વસઁત પરીખને આવુ ગાર્ડ ઓફ ઓનર અપાયુ તે એક સરકારનુ યોગ્ય પગલુ કહેવાય. <br /><br />કે.કા.શાસ્ત્રી વિષ્વ હિઁદુ પરિષદ સાથે સઁકળાયેલા હતા અને ડો. વસઁત પરીખ અમારા ગામના - એટલેકે વડનગરના અને જે ગામ મુખ્યમઁત્રી નરેન્દ્ર મોદીનુઁ પણ ગામ અને તેથી કહી શકાયકે આવુ માન સરળતાથી મળી શકે પરઁતુ જો આવી પ્રણાલીકા ચાલુ રહે તો અનેક જનહીતમા સઁકળાયેલા લોકોને માન આપી પ્રોત્સાહીત કરી શકાય. રાજકારણ સિવાય ક્યારેય ચુઁટણી ના ચુઁટાયા હોય પણ લોક્સેવા તે ધર્મ સમજીને આખી જીદગી પસાર કરનાર અનેક સારા માણસોને પણ ગાર્ડ ઓફ ઓનર મળવુઁ જોઇએ. <br /><br />79 વર્ષની વયે વસઁતભાઇએ ચિર વિદાય લીધી અને ભાવી પેઢી ભાગ્યે માની શકે કે 1967 થી 1971 દરમિયાન તે વિધાનસભામાઁ હતા. ગાઁધીજી અને સર્વોદય વિચારધારાને વળેલા વસઁતભાઇ પરીખને મળવાનુ સોભાગ્ય મને તેમના મરણના થોડા દિવસ પહેલા થયેલુ. મારા કાકાજી ભગવાનદાસ પટેલ સાથે તેઓ અમારે ઘરે આવ્યા હતા અને કાકા ની સાથે વડનગર જવાના હતા. ચા-પાણી કર્યા બાદ, મેઁ તેનને મારુ પુસ્તક ‘ગાર્ડિયન ઓફ એંજલ્સ” બતાવ્યુઁ અને બધી વાત કરી. શાઁત ચિત્તે સાઁભરી તેમણે મને ગુજરાતીમાઁ બહાર પાડાવાની સલાહ આપી. અને તેમના ગયા બાદ મારા દાદા ગોપાલભાઇએ વસઁતભાઇનો વિસ્તારથી પરિચય આપ્યો. ભગવાનદાસકાકા ની લોક્સેવાની મને ખબર હતી પણ વસઁતભાઇની વાતો સાઁભરી મને લાગ્યુઁ કે આપણે તેમની પાસેથી વધુ નહી તો થોડુઁ પ્રોત્સાહન લેવુ જોઇએ. માત્ર રૂ.5400 લોકફાળામાઁ અપક્ષની ચુટણી લડી, પોતાનો ધારાસભ્યનો પગાર જે રૂ.350 હતો, તે પણ તેમણે લોકવિકાસમા વાપર્યુઁ. બસ ભાડા સુધીના ખર્ચનુ ઓડિટ કરાવ્યુ. ગુજરાત અને બિહારમાઁ આઁખોના દર્દીયોનાઁ મફત ઓપરેશન કરાવ્યા જેનો આઁકડો માઁડવો મુશ્કેલ છે. તેમના ચાહકો માનતાકે વિધાનસભા કરતા પ્રજાને તેમની વધુ જરૂર હતી. જેમના હૈયામાઁ જનતા ની સઁવેદના જીવનભર ધબકતી હતી તેવા ગુજરાતના સઁનિસ્ઠ લોકસેવક એવા વસઁતભાઇ ના મરણથી ગુજરાતે એક આદર્શ સમાજસેવક ગુમાવી દીધા છે. શ્રી નરેન્દ્ર મોદી સતત ત્રણ દિવસ હોસ્પિટલ-સિવિલમા, તેમની સ્મશાન યાત્રામાઁ અને વડનગર શોકસભામાઁ હાજરી આપી ઝાઁખી કરાવી કે વસઁતભાઇ નુ કેટલુ પ્રદાન હતુ ગુજરાતની સેવામા. ડો. વસઁતભાઇ 2001 કચ્છ ભૂકઁપ વખતે પોતાના સર્વ કામ છોડીને પોતાની ટીમ સાથે તાત્કાલીક પહોઁચી જતા અને તે આગવા કામ સદા કચ્છ ના અને ગુજરાતના લોકોને યાદ રહેશે. તેમણે કેટ્લાક ગામ દત્તક લીધા અને નવનિર્માણ સાથે નોઁધપાત્ર કામગીરી બજાવી. સુનામી વાવાઝોડામાઁ પણ તેમણે ઉલ્લેખનીયા ફાળો આપ્યો. ડો. વસઁત પરીખે, સામાજિક, રાજકિય, આર્થિક તેમજ કેળવણી ક્ષેત્રે અનેક પ્રકારની કામગીરી કરી છે. <br /><br />વસઁતભાઇનો જન્મ મુળ ઉત્તર પ્રદેશમા અલિગઢ માઁ વસઁતપઁચમીના દિવસે થયો હતો. નાનપણમાઁ માતા-પિતા ગુમાવનાર વસઁતભાઇને પાલક માતા-પિતાએ નબળી પરિશ્થિતિમાઁ પણ અરોગ્યનુ શિક્ષણ આપવામાઁ ખુબ મહેનત કરેલી. વસઁતભાઇનુ બાળપણ ગરીબીમાઁ વિગ્યુ અને મઁબઇમાઁ ફેરીયા તરીકે ફળો વેચીને પોતે ઘરમાઁ મદદ કરતા. ત્યારબાદ જામનગર સરકારી મેડિકલ કોલેજમાઁ અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર ઉનિવર્સિટિમાઁ પ્રથમ આવ્યા હતા. પછી સરકારી નોકરીમાઁ જોડાયા હતા. આ દર્મિયાન વસઁતભાઇનો સઁપર્ક સર્વોદય કાર્યકર દ્વારકાદાસ જોષી સાથે થયો અને વસઁતભાઇ સરકારી નોકરી છોડીને વડનગર નાગરિક હોસ્પિટલમાઁ ગરીબ દર્દીઓની સેવામાઁ જોડાયા હતા. <br /><br />ઉત્તર ગુજરાતના લોકો માટે વસઁતભાઇ દર્દીયો માટે ભગવાનનુઁ રૂપ ધરાવતા. તેમણે અનેક નિ:શુલ્ક નિદાન કેમ્પોનુ ગુજરાત અને બહાર અયોજન કર્યુ, હજારો લોકોની આઁખની સારવારમાઁ જીવન સમર્પિત કર્યુઁ. 1967 માઁ ગુજરાત વિધાનસભાના સભ્ય બની લોકોને આર્થિક રીતે સધર બનાવવા ખુબ મહેનત કરી તથા લોકોમાઁ ઉધોગો પ્રત્યે અભિગમ કેળવવામાઁ ઘણા બધા લઘુ ઉધોગો ઉભા કરાવ્યા હતા. ઉત્તર ગુજરાતને ધરોઇ બઁધ ની ભેટ આપનાર તરીકે વસઁતભાઇને લોકો યાદ રહેશે. તે સમયના ઇઁદિરા ગાઁધીને રૂબરૂ મળીને વસઁતભાઇએ આ યોજના કાર્યરત કરી હતી. <br /><br />ખુબીની વાત એ છે કે મારુ પુસ્તક જોયા પછી પણ વસઁતભાઇએ મને અણસાર ન આપ્યોકે તેઓ ખુદ લેખક છે અને તેમના ગયા પછી મને ખબર પડીકે સાહિત્યક્ષેત્રે તેમનો મોટો ફાળો છે. ગીતા પ્રવેશ, કુંતી, છ્બી જેવા બેતાલીસ પુસ્તક નુ સર્જન કરી સમાજને એક અદભુત સાહિત્યાની ભેટ આપી છે. ગોપાલદાદાએ કહ્યુ કે ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનુઁ મરણ થતા ખુબજ એકલતા અનુભવતા હતા અને તુટી ગયા હતા. વસઁતભાઇએ પોતાના વસિયતનામા માઁ દેહ્